મોરપિંચ્છમાંથી નીકળશે વાંસળીના સૂર્ રાધાનો વિરહ મીરાંના ભજન નરસિંહના પ્રભાતિયાં માખણ-મીસરી ગાયોનાં ઘણ શંખનાદ ને, ગીતાના શ્લોક!
એક કવયિત્રી
મોરપિંચ્છમાંથી નીકળશે વાંસળીના સૂર્ રાધાનો વિરહ મીરાંના ભજન નરસિંહના પ્રભાતિયાં માખણ-મીસરી ગાયોનાં ઘણ શંખનાદ ને, ગીતાના શ્લોક!
જિંદગી ક્યાંક આડા હાથે મૂકાઈ ગઈ છે. રસોડાની ગોઠવણ કરતાં-કરતાં કે પછી કપડાની ગડીઓની વચ્ચે ખોવાઈ ગઈ છે. સવારનું એર્લામ જાણે કહે છે કે જાગી જા હજી બહુ મોડુ નથી થયું. પણ પાછું સ્નુઝ બટન કોઈ કારણોસર દબાઈ જાય છે. દર વર્ષે મિણબત્તીની સંખ્યા વધે છે પણ એને ઓલવવાનો શ્વાસ…