11
Apr
સારથિ
જીવન યુદ્ધમાં
સતત લડતો
અર્જુન હું…
અને
કૌરવો એટલે,
મારી અંદર ઊગતો વિષાદ
મારી અંદર ઊગતો ક્રોધ
મારી અંદર ઊગતો દ્વેષ
મારી અંદર ઊગતી હિંસા
ન થાય સંધ્યા
ન થાય શંખનાદ
કેટલીય યુદ્ધનીતિ, રણનીતિ, કુટનીતિ
મનમાં રચાય…
પણ છેવટે તો મારા કૃષ્ણ-શબ્દો જ
બને મારા સારથિ !
(પ્રકાશિત – રીડગુજરાતી)

